Ahmedabad: journalist Auzef Aabeda pathan વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા સ્વચ્છ ભારત અભિયાનની જાહેરાતો કરવામાં આવી છે પરંતુ અમદાવાદ શહેરમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન કોન્ટ્રાક્ટ કમિશન અને કરપ્શન પ્રથામાં પ્રખ્યાત છે.
અમદાવાદ શહેરમાં સ્વચ્છ ભારત અભિયાનમાં થોડાક દિવસો પહેલા ઓપનિંગ કરવામાં આવ્યું છે. જેમાં અમદાવાદના તમામ વોર્ડમાં ડોર ટુ ડોર ની ચાલતી કચરાની ટ્રકોમાં પહેલા સ્થાનિક અમદાવાદ શહેરના નાગરિકોને નોકરી આપવામાં આવતી હતી તે ઉપરાંત કચરાનું કામ કરનાર ને પણ અમદાવાદ શહેરના નાગરિકોને લેવામાં આવતા હતા. પરંતુ હાલ અમદાવાદમાં ડોર ટુ ડોર અભિયાનની ગાડીઓમાં અમદાવાદ શહેર બહારના પંચમહાલ જિલ્લાના દાહોદ ગોધરા ની આસપાસના લોકોને લઈને આવવામાં આવી રહ્યા છે. જેમને રોજગારી આપવામાં આવી રહી છે.
શું અમદાવાદ શહેરમાં સ્વચ્છ અભિયાનમાં કામ કરનાર કર્મચારીઓ નથી ?
કેમ અમદાવાદ શહેરના અને સ્થાનિક લેવલે કામ કરનાર લોકોને રોજગારી આપવામાં આવતી નથી ?
કેમ આ વખતે યુનિયન ચૂપ બેસેલ છે ?.
જેવા અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે.