• Fri. Oct 18th, 2024

Ahmedabad: શહેરકોટડામાં લૂંટના ઈરાદે ફાયરિંગ કરી શખ્સો ફરાર.

Bythepoweroftruth

Feb 7, 2024

Ahmedabad :

નિકોલમાં આલીશાન સોના-ચાંદીનો શોરૂમ ધરાવતા વેપારી લૂંટના પ્રયાસનો ભોગ બન્યા છે. વેપારી દુકાન બંધ કરીને નિકોલથી નારણપુરા ખાતે ઘરે જતા હતા ત્યારે રસ્તામાં ફોન આવતા તે અનિલ સ્ટાર્ચ મીલ રોડથી પીકર્સની ચાલી પાસે ગાડી સાઈડમાં ઉભી રાખીને વાત કરતા હતા ત્યારે એક શખ્સે આવીને દરવાજો ખખડાવીને એક રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું, બાદમાં વેપારી ત્યાંથી ગાડી લઈને ભાગ્યા તો લૂંટારૂઓ તેમની પાછળ ભાગ્યા હતા અને રસ્તામાં ગાડીના ટાયર પાસે એક રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. સદ્દનસીબે વેપારીને કોઈ ઈજા થઈ ન હતી કે કોઈ મતા લૂંટાઈ ન હતી, પરંતુ લૂંટના ઇરાદે ત્રણ શખ્સોએ ફાયરિંગ કરતા શહેરકોટડા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

નારણપુરામાં આવેલા કલ્પતરૂ ટેનામેન્ટમાં રહેતા નિલેશભાઈ દલાલ નિકોલ ખાતે સોના-ચાંદીની દુકાન ધરાવે છે. નિલેશભાઈ મંગળવારે દુકાનેથી ઘરે ગાડી લઈને પરત જતા હતા. નિકોલથી નીકળ્યા બાદ તે ઠક્કરનગર થઈને અનિલ સ્ટાર્ચ મિલ રોડથી પસાર થતા હતા ત્યારે વેપારીને ફોન આવતા પીકર્સની ચાલી પાસે ગાડી સાઈડમા ઉભીરાખીને વાત કરતા હતા ત્યારે એક શખ્સે કાચખખડાવતા નિલેશભાઈએ દરવાજો કે કાચ નખોલતા આ શખ્સે બંદૂક તાકીને એક રાઉન્ડફાયરિંગ કર્યું હતું. નિલેશભાઈ ગભરાઈ જતાગાડી લઈને ભાગ્યા ત્યારે ત્રણેય શખ્સોએબાઈક પર પીછો કરીને સરસપુર સિટી ગોલ્ડસિનેમા પાસે ઓવરટેક કરીને નિલેશભાઈનીગાડીના ટાયર પાસે એક રાઉન્ડ ફાયરિંગ કર્યુંહતું. નિલેશભાઈએ ફરીથી તેજ ગતિએગાડી ચલાવીને સરસપુર તરફ વળી ગયાબાદ પાછળ જોયું તો ત્રણેય શખ્સો ચામુંડાબ્રિજ તરફ ભાગી ગયા હતા. નિલેશભાઈએવેપારી અને ભાઈ તથા પોલીસને જાણ કરતાઆ મામલે શહેરકોટડા પોલીસે લૂંટના ઈરાદેફાયરિંગ કરનાર ત્રણ રાખ્સોની શોધખોળશરૂ કરી છે. પોલીસે હવે આ મામલે રૂટ પરનાસીસીટીવી આધારે તપાસ શરૂ કરી છે. ત્

દેશી બનાવટના હથિયારથી ફાયરિંગ કર્યું હોવાથી યુ.પી કે એમ, પી નીગેંગ હોવાની પોલીસે શંકા વ્યક્ત કરી છે.

પોલીસ સૂત્રોનું કહેવું છે કે, ભોગ બનનારન નો આલીશાન શોરૂમ જોઇને લૂંટારૂઓએ તેમને ટાર્ગેટ બનાવ્યા હોઇ ક શકે કે છે. નિલેશભાઇ રોજ
દુકાનેથી કોઇ વસ્તુઓ ભરેલો થેલો લઇને નીકળતા હોવાથી થેલામાં કિંમતી મતા હોવાની શંકાએ આરોપીઓએ લૂંટના ઇરાદે પીછો કરીને ઘટનાને અંજામ આપ્યો હોઇ શકે છે.
જોકે, નિલેશામાઇ ક્યારેય ઘગીના કે રોક્ડ ઘરે લઇ જતા નથી અને તેમણે સેફ લોકર બનાવેલું છે તેમાં જ તમામ વસ્તુઓ મૂકતા હોય છે.

ભોગ બનનારની રેકી કરાઇ હતી
આરોપીઓએ આશરે રાત્રે 1.46 વાગ્યે ઘટનાને અંજામ આપ્યો હતો. નિલેશભાઈ દુકાનેથી નીકળ્યા ત્યારથી તેમનો પીછો કરાયો હોવાનો પોલીસને અંદાજ છે. નિલેશભાઈ કાયમી આ
રૂટ પરથી પસાર થતા હોવાથી ઓછી ભીડનો લાભ લઇને આરોપીઓએ ફાયરિંગ કરી લૂંટનો પ્રયાસ કર્યો હતો. જેથી છેલ્લા ઘણા દિવસથી તેમની રેકી થઇ હોવાની શક્યતાઓ પોલીસે વ્યક્ત કરી છે.

By thepoweroftruth

7984282314,9714121282 The power of truth is a owner only auzef tirmizi,aabeda pathan has been established 2023.The Power of Truth is owned by journalists both of whom owner YouTube and website. The power of Truth is not profession it will be spread Truth and Responsibilities. Journalism in India is under threat day by day. This fourth estate is a platform of freelance journalists who have studied journalism with their passion in journalism. Investigative, research, brings out the works done in the dark. 7984282314,