Ahmedabad : અમદાવાદમાં સાબરમતી નદીમાં કેમિકલ યુક્ત પાણી છોડાતું હોવાના કારણે બેહરામપુરા અને દાણીલીમડામાં તમામ ફેક્ટરીઓ સિલ્ડ મારવામાં આવી છે. તો કેટલીક ફેક્ટરીઓમાં તો બુચ પણ મારી દેવામાં આવે છે જેથી તે પાણી ન છોડી શકે. ત્યારે કેટલી ફેક્ટરી અને કરોડો રૂપિયાના દંડ પણ થયા છે. થોડા દિવસ પહેલા વિપક્ષ દ્વારા પણ અક્ષેપો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન પર પણ કરવામાં આવ્યા હતા.
અમદાવાદના સુએઝ ફાર્મ વિસ્તારમાં અજમેરી ફાર્મ તેમજ રૂપમ ટેક્સટાઇલ ની પાસે ત્યાના મોટી વગ ધરાવતા નંદનભાઈ અગ્રવાલ માટે GPCB કે AMC ના કાયદા ભલે બીજા ફેક્ટરી ના માલિકો માટે ગરમ હોય પરંતુ તેમના માટે તો નરમ જ છે .
અમદાવાદમાં સુએજ ફારર્મ વિસ્તારમાં રૂપમ ટેક્સટાઇલ ઉપરાંત આજુબાજુની 20 થી 25 ફેક્ટરીઓ દ્વારા રાત્રિના સમય દરમિયાન ખરાબ કેમિકલ યુક્ત પાણી રોડ ઉપર છોડવામાં આવી રહ્યા હોવાનું તેના સ્થાનિક દ્વારા ફોન કરીને જણાવ્યું છે. તે ઉપરાંત જીપીસીબી દ્વારા તો શીલ્ડ મારી દેવામાં આવે છે પરંતુ સ્થાનિક લેવલે પોલીસ અને AMC માં સારી વગ ધરાવતા ફેક્ટરી માલિક અને વહીવટદાર એવા નંદન અગ્રવાલ માટે તો આ બધી વાતો ફક્ત કાગળ પૂરતી છે.