Ahmedabad: journalist Auzef,Aabeda pathan
દબાણોના તો અનેક પ્રકારો હોય છે. અમદાવાદ શહેરમાં વાત કરવા જઈએ તો હજારો દબાણ જોવા મળે છે. રોડ પરના મોટા દબાણો અને ગેરકાયદેસર બાંધકામો, ફૂટપાઠના દબાણો, સરકારી કચેરી બહારના દબાણો વગેરે દબાણો હોય છે . વર્ષો બાદ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન કુંભકર્ણની ઊંઘ માંથી બહાર આવે છે તેમના દ્વારા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા રીલિફ રોડ હનુમાન ગલીમાં માં ચેરીટેબલ ટ્રસ્ટ ની ઓફિસ તોડી નાખવામાં આવે છે. જેમની ઓફિસ તોડી નાખવામાં આવી તે વ્યક્તિનું નામ છે મયુદ્દીન મેમણ @ મયું મેમણ.જે બિલ્ડીંગના વેપાર સાથે જોડાયેલા છે. જેમની ઓફિસ પર ડિમોલિશન કરવામાં આવ્યું. ત્યારબાદ તેમના વિશે કથિત વાતો પણ લખવામાં આવી હતી.
જે ઓફિસ તોડી નાખવામાં આવી છે તેનું નામ MAA ચેરીટેબલ ટ્રસ્ટ કેમ રાખવામાં આવ્યું ?
મયુદ્દીન મેમણની માતાનું અવસાન થતાં તેમણે માતૃપ્રેમ ખૂબ જ હોવાથી તેમની યાદમાં તેમણે એક ટ્રસ્ટ બનાવ્યું. ટ્રસ્ટ દ્વારા પોતાના સ્વખર્ચે છેલ્લા 13 વર્ષેથી હિન્દુ મુસ્લિમ બહેનોનું સમૂહ લગ્નનું કાર્યક્રમ પણ કરવામાં આવે છે.
તે ઉપરાંત અઠવાડિયામાં બે વખત મયુદીન મેમણ અને તેમના પુત્રો દ્વારા જમવાનું બનાવીને સાંજે તેમની ઓફિસ બહાર ગરીબોને શ્રમિકોને અને પરપ્રાંતીઓને મફતમાં જમવાનું ખવડાવવામાં આવે છે.તે ઉપરાંત તે સ્થળે જાઓ તો તમામ ધર્મના લોકોની લાઈનો જોવા મળે છે.
તેઓ ઉપરાંત મયુદ્દીન મેમણ જેવો હિન્દુ મુસ્લિમ એકતાની પણ આસ્થા ધરાવે છે.તેમના દ્વારા સમુદાયોને લઈને ખૂબ જ સારા પ્રયાસો બંધમુઠી કરવામાં પણ આવ્યા છે.
સૂત્રો ના જણાવ્યા અનુસાર આ કામ ટારર્ગેટેડ કરવામાં આવ્યું હોય તેવું લાગી રહ્યું છે. જે રસ્તામાંથી ફોરવીલ ન નીકળી શકતી હોય તે ગલીમાં આવીને ઓફિસ થોડી નાખવામાં આવે તેની સામે પણ અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે.