• Sat. Sep 7th, 2024

Ahmedabad:ખાડિયાના સોનીને ગોળી મારી સોનાની લૂંટ કેસમાં અસંખ્ય CCTV તપાસ ચાલુ.

Bythepoweroftruth

Jul 17, 2024

એલિસબ્રિજમાં થયેલી 40 લાખની લૂંટનો ભેદ ઉકેલાયો છે ત્યાં લૂંટારુંઓએ ફરી નિષ્ક્રિય પોલીસને પડકાર ફેંક્યો છે. મંગળવારે બપોરે ગાંધી ચૈડ પર આવેલી હતાશા પોળમાં આવેલી સોની હિંમતલાલ શંકરલાલજી નામની સોના- ચાંદીની દુકાનમાં એક લૂંટારુ હથિયાર સાથે ચૂસ્યો હતો. લૂંટારુએ સોની વેપારી સાથે ઝપાઝપી કરીને એક ગોળી પગમાં મારીને 3.50 લાખની લૂંટ ચલાવી હતી. ખાડિયા પોલીસે આ કેસમાં 100થી વધુ સીસીટીવી તપાસ્યા હોવાછતાંષ આરોપી સુધી પહોંચી શકી નથી. આટલું જ નહીં લૂંટારું કાલુપુરથી આગળ કયા વિસ્તારમાં ગયો તે બાબતે હાલ તપાસ ચાલુ છે.

સોની હિંમતલાલ શંકરલાલજી નામની સોના ચાંદીની દુકાનમાં માલિક વિકાસભાઈ સોની મંગળવારે હાજર હતા. પોણા ત્રણેક વાગ્યે એક રાખ્ય મોઢે રૂમાલ બાંધીને દુકાનમાં ધસી આવ્યો હતો. લૂંટારાએ શટર બંધ કરીને વિકાસભાઈ સાથે ઝપાઝપી કરી હતી. લૂંટારુએ વિકાસભાઈની આઠ તોલાનીબે સોનાની ચેઇન અને એક સોનાની વિટી મળી રૂ.540લાખના દાગીના લૂંટી લીધા હતા. બાદમાં આરોપીએ વિકાસભાઈના પગમાં ગોળી મારતા તેઓ ત્યાં જ લોહીલુહાશ નાલતમાં ફસડાઈ પડ્યા હતા. બાદમાં લૂંટારુએ 100 ગ્રામના છ. સોનાના બિસ્કિટ, 10 કિલોની ચાંદીની પાટ મળી કુલ રૂ. 49.40 લાખની મતા લૂંટી ફરાર થઇ ગયો હતો.

 

આરોપીની સાથે અન્ય

 

શખ્સ હોવાની પણ શંકા

 

આ મામલે અસંખ્ય સીસીટીવી તપાસ કરવામાં આવ્યા છે.

 

વાણી દૂધાત, એસીપી, ઇ-ડિવિઝન

 

ખાડિયાની સાથે ક્રાઇમ બ્રાંચની ટીમ પણ તપાસ કરે છે. ભીડભાડ વાળા વિસ્તારમાંથી આરોપી વાહન પર થઈને કાલપુરથી આગળ નીકળ્યો હોવાનું તપાસમાં સામે મે આવ્યું છે. સાથે આ એક આરોપીની સાથે અન્ય લોકો પણ સંડોવાયેલ હોવાની શંકાના આધારે તપાસ ચાલી રહી છે.

આરોપી જતા જતાસ્ટો પર મારીને ભાગ્યો છે.

પોલીસે વિકાસભાઇની પૂછપરછ કરતા લૂંટારુંએ લૂંટને અંજામ

આપવા દુકાનમાં પ્રવેશ કર્યો ત્યારે દુકાનનું શટર બંધ કર્યું હતું, જેથી ત્યાં અવર જવર કરનારને જાણ થઇ ન હતી. આરોપીએ લૂંટ ચલાવી ત્યારે વિકાસભાઇને ગોળી વાગી હોવાથી તથા ફસડાઈ પડયા હતા. બાદમાં આરોપી સોનાના બિસ્કીટ અને ચાંદીની પાટ લૂંટીને દરવાજાને સ્ટોપર મારીને કોઈને ભનક ન પડે તેમ નીકળી ગયો હોવાનું સામે આવ્યું છે.

By thepoweroftruth

7984282314,9714121282 The power of truth is a owner only auzef tirmizi,aabeda pathan has been established 2023.The Power of Truth is owned by journalists both of whom owner YouTube and website. The power of Truth is not profession it will be spread Truth and Responsibilities. Journalism in India is under threat day by day. This fourth estate is a platform of freelance journalists who have studied journalism with their passion in journalism. Investigative, research, brings out the works done in the dark. 7984282314,