• Sun. Sep 8th, 2024

Ahmedabad:ગાડી મેરે બાપ કી…’ સિંધુભવન રોડ સ્ટન્ટ કેસમાં પોલીસ ભરાઈ ગઈઃ HC મેટર પોહચી.

Bythepoweroftruth

Aug 1, 2023

Ahmedabad :

અમદાવાદમાં તાજેતરમાં સિંધુભવન રોડ પર કાર સ્ટન્ટનો વીડિયો વાઈરલ થયો હતો. આ વીડિયોના આધારે પોલીસે એક આરોપીને પકડ્યો હતો અને રસ્તા પર ઉઠક બેઠક કરાવવાની સાથે સાથે એક પ્લેકાર્ડ પકડાવીને અપમાનિત પણ કર્યો હતો. આ કેસના આરોપીએ આ અંગે હાઈ કોર્ટમાં ફરિયાદ કરી છે અને પોલીસ સામે એક્શન લેવા માંગણી કરી છે.

તાજેતરમાં અમદાવાદના સિંધુભવન રોડ પર બેફામ ગતિએ કાર ચલાવીને સ્ટન્ટ કરનારા એક નબીરાને પોલીસે પકડ્યો હતો, જેમાં હાઈ કોર્ટે પોલીસને જ સુપ્રીમકોર્ટના તિરસ્કારની નોટિસ ફટકારી જવાબ માંગ્યો છે. આ કેસમાં પોલીસે 24 વર્ષીય જુનૈદ મિર્ઝા નામના યુવાનને જાહેર રસ્તા પર સ્ટન્ટ કરતા પકડીને તેને “ગાડી મેરે બાપ કી હૈ, પર રોડ નહીં” એવું લખેલું બોર્ડ પકડાવ્યું હતું તથા જાહેરમાં અપમાનિત કર્યો હતો. આ બનાવ પછી જુનૈદ મિર્ઝા હાઈ કોર્ટમાં ગયો અને DCP ઝોન-7ની સ્કવોડના 4 પોલીસ કર્મચારીઓ સામે ફરિયાદ કરી હતી. આરોપીને જાહેરમાં પરેડ કરાવીને તેને અપમાનિત કરવા સામે કોર્ટે મનાઈ ફરમાવી છે. તેથી આ કેસમાં કોર્ટે પોલીસ પાસે ખુલાસો માંગ્યો છે.
આ ઘટના 5 જુલાઈની છે જ્યારે DCP ઝોન-7ની સ્કવોડે જુનૈદ મિર્ઝાને સિંધુ ભવન રોડ પર એક પ્લેકાર્ડ પકડાવીને ઉભો રાખ્યો હતો જેના પર લખ્યું હતું “ગાડી મારા બાપની છે પણ રોડ નથી.” મિર્ઝા આ મામલે હાઈ કોર્ટમાં ગયો અને આરોપ મુક્યો કે , સરખેજના પોલીસ ઈન્સ્પેક્ટર વી જે ચાવડા, PSI ડી પી સોલંકી, સેટેલાઈટ PSI દિનેશસિંહ રાઠોડ અને કોન્સ્ટેબલ ઈરફાન શેખે તેને સુપ્રીમ કોર્ટના નિર્દેશનો ભંગ કરીને જાહેરમાં અપમાનિત કર્યો હતો.

આ બાબતમાં મિર્ઝાએ હવે પોલીસ સામે એક્શન લેવાની માંગણી કરી છે. હાઈ કોર્ટની એક ડિવિઝન બેન્ચે આ અંગે જે પોલીસકર્મીઓના નામ અપાયા છે તેમનો ખુલાસો માંગ્યો છે. સુપ્રીમ કોર્ટના આદેશ હોવા છતાં આરોપીની પરેડ કરાવવા બદલ તેમની સામે કોર્ટના તિરસ્કારના પગલાં કેમ લેવામાં ન આવે તેનો જવાબ માંગવામાં આવ્યો છે.
લાંચ ન આપી તો ખોટો ફીટ કરી દેવાયો?
મિર્ઝાનું કહેવું છે કે સંબંધિત વિડીયો 2021માં ઉતારવામાં આવ્યો હતો અને પોલીસે બે વ્યક્તિ સામે FIR નોંધી હતી. આ કેસમાં ચાર્જશીટ દાખલ થઈ ત્યારે તેમાં મિર્ઝા એક સાક્ષી હતો. મિર્ઝાનું કહેવું છે કે તેણે એક ગન લાઈસન્સ માગ્યું હતું જેના બદલામાં DCPની ઓફિસે 10 લાખની લાંચ માંગી હતી. તેણે આ લાંચ આપવાની ના પાડતા આ કેસમાં તેને ફીટ કરીને આરોપી બનાવી દીધો છે.

તેનું કહેવું છે કે તેનો કોઈ ગુનાઈત ઈતિહાસ ન હોવા છતાં તેની અરજી નકારવામાં આવી હતી. જ્યારે તેણે લાંચ આપવાનો ઈનકાર કર્યો ત્યારે તેને સિંધુ ભવન રોડ કેસમાં ફીટ કરી દેવાયો હતો.
પોલીસે સિંધુ ભવન રોડ કેસમાં વધારે તપાસ માટે મેજિસ્ટરિયલ કોર્ટની મંજૂરી માંગી હતી અને જૂનમાં મંજૂરી મળી ગઈ હતી. ત્યાર પછી જુનૈદ મિર્ઝાને તેમાં આરોપી તરીકે બતાવી દેવાયો હતો. પોલીસે જુનૈદ મિર્જાને બે વખત નોટિસ આપી હતી અને બંને વખત તેણે તેનો જવાબ આપ્યો હતો. પરંતુ પોલીસ તેના જુહાપુરા સ્થિત જ્વેલરી શોરૂમમાં ઘુસી આવી અને તેને ઢસડીને બહાર ખેંચી ગઈ હતી. ત્યાર પછી સિંધુ ભવન રોડમાં તેને જાહેરમાં અપમાનિત કરાયો, ઉઠ-બેસ કરવાની અને પ્લે કાર્ડ હાથમાં પકડીને ઉભા રહેવાની ફરજ પાડવામાં આવી હતી. હાઈ કોર્ટના જસ્ટિસ સમીર દવેએ ઈન-ચાર્જ ઓફિસર પાસેથી એફિડેવિટ માગ્યું છે.

By thepoweroftruth

7984282314,9714121282 The power of truth is a owner only auzef tirmizi,aabeda pathan has been established 2023.The Power of Truth is owned by journalists both of whom owner YouTube and website. The power of Truth is not profession it will be spread Truth and Responsibilities. Journalism in India is under threat day by day. This fourth estate is a platform of freelance journalists who have studied journalism with their passion in journalism. Investigative, research, brings out the works done in the dark. 7984282314,